• Messengers of meghdoot

  • Mount Meghdoot

    Mount Meghdoot

    Logo Of Mount Meghdoot, Courtesy Vishal Jethva

  • Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

    Join 1,025 other subscribers
  • The Meghdoot History

  • Meghdoot Calendar

    May 2024
    M T W T F S S
     12345
    6789101112
    13141516171819
    20212223242526
    2728293031  
  • People till date enjoyed our raindrops

    • 47,304 times
  • Live Traffic

  • Tweetdrops

  • Add us on Google Plus

  • Mount Meghdoot on Facebook

  • Top Clicks

    • None

ફિલ્મી સફર

ઘ………………………….ણા વખતે ફરીથી આજે હાજર છીએ. Hope everyone is safe and healthy with their loved ones too. તો, આજે એક નવા લેખકને અમે કી-બોર્ડ આપીએ છીએ. એ આપણા બ્લોગ પર ફિલ્મી સફર કોલમ અંતર્ગત આપણને ફિલ્મો અને એની વિશેની વિગતોનો આસ્વાદ કરાવશે.

આજે અહીં એવી ત્રણ અભિનેત્રીઓની વાત કરવી છે કે જેમણે દરેકે ફક્ત અને ફક્ત કોઈ એક જ નિર્માતાની ફિલ્મો કરી અથવા કેવળ એક જ અભિનેતા સાથે કામ કર્યું હોય, અન્ય કોઈ બહારના બેનરમાં એક પણ ફિલ્મ ન કરી હોય.

સંધ્યા કે જેમણે ફક્ત નિર્માતા નિર્દેશક વ્હી શાંતારામની જ ફિલ્મો કરી.
કલ્પના કાર્તિક કે જેમણે દેવ આનંદ સાથે જ કામ કર્યું.
પ્રિયા રાજવંશ કે જેમણે ફક્ત ચેતન આનંદની જ ફિલ્મો કરી.

આ ત્રણે ય અભિનેત્રીઓની સરખામણી એક મેક સાથે કરવી શક્ય નથી. તે તમામની પારિવારિક, અભ્યાસ કે અભિનયની બાબતો એ બધું દરેકથી અલગ રહ્યું છે. તેમનાં દેખાવ, તેમણે પડદા ઉપર ભજવેલ ભૂમિકા કે તેમણે જેમાં અભિનયનાં ઓજસ પાથર્યા તેવી ફિલ્મોની સંખ્યા એ બધું અલગ બાબત બની જાય છે. તેમની એકબીજા સાથે કોઈ સરખામણી થઇ શકે તેમ નથી, તો પછી તફાવતની તો વાત જ ન થાય ને ? આમ છતાં આ ત્રણેય ને અહીં એક સાથે લેવાનું કારણ ઉપર જણાવ્યું તે એ જ છે કે આ દરેકે ફક્ત ને ફક્ત એક જ નિર્માતા સાથે અભિનય કર્યો. અને એક કારણ એ પણ ખરું કે આ અભિનેત્રીઓ આ નિર્માતા નિર્દેશક સાથે અંગત સંબંધોથી જોડાયેલ હતી. સંધ્યા એ શાંતારામની ત્રીજી પત્ની બની, કલ્પના કાર્તિક અને દેવઆનંદ ફિલ્મ ટેક્સી ડ્રાઈવરના સેટ ઉપર જ પરણ્યાં અને પરિણીત ચેતન આનંદે પ્રિયા રાજવંશને નામ વગરના સંબંધે બાંધેલી રાખી. તેણે એક ફ્લેટ ભેટમાં આપ્યો અને આર્થિક મદદ કરતા રહેલા. માણસો જેને રૂપ કહે છે તે બાબતે આ સૌ અભિનેત્રીને રૂપાળી કહી શકાય, પણ અભિનય બાબતે બધાની માફક તેઓની પણ મર્યાદા રહી છે. આ લખાય છે ત્યારે સંધ્યા અને કલ્પના વયોવૃદ્ધ થયાં છે અને કુદરતે પ્રિયાને તે તક ન આપી. ઉપરાંત કરુણતા એ છે કે પ્રિયાનું અવસાન કોઈ માંદગી કે અકસ્માતને કારણે નથી થયું, પણ મિલકતના મુદ્દે તેણીની ઠંડે કલેજે હત્યા કરવામાં આવેલી. આમ આ રીતે જોઈએ તો આ ત્રણ પૈકી અત્યારે કોઈ સક્રિય નથી.

સૌથી પ્રથમ સંધ્યા વિષે વાત કરીએ.


૨૭/૦૯/૧૯૩૮ ના દિવસે કોચીમાં એક દેશમુખ અટક ધરાવતાં મરાઠી પરિવારમાં તેમનો જન્મ થયો. નામ રખાયું વિજ્યા. ૧૩/૧૪ વર્ષની વયે લગભગ ૧૯૫૧ની સાલમાં તેમનું ધ્યાન છાપામાં આવેલી એક જાહેરાત ઉપર પડ્યું. વિજ્યા અને બહેન વત્સલાએ ધ્યાનપૂર્વક જાહેરાત વાંચી. જાણીતા નિર્માતા નિર્દેશક વ્હી. શાંતારામ ફિલ્મ ‘અમર ભૂપાલી’ બનાવવા માટે એક નવા તાજા મહિલા ચેહરાની શોધ કરતા હતા. અને રસ ધરાવનારે તેમને મળવા જવાનું હતું. સાથે જવાને બદલે વત્સલાએ વિજ્યાને મોકલી દીધી. વિજ્યાનો સ્ક્રિન ટેસ્ટ લેવાયો. વિજ્યાએ કોઈ નૃત્યની તાલીમ નહોતી લીધી. શાંતારામને કોઈ ખાસ સંતોષ ના થયો. પરંતુ વિજ્યાનો અવાજ તેમને સ્પર્શી ગયો. નૃત્ય તો શીખી શકાય. ગુણવંતીના પાત્ર માટે વિજ્યા દેશમુખ પસંદ થઈ ગઈ. અને પડદા માટે શાંતારામે તેને નામ આપ્યું સંધ્યા ! અને ‘અમર ભુપાલી’ (૧૯૫૨)ની સફળતાએ સંધ્યા ખીલી ઉઠી.

૧૯૫૨ માં જ પ્રણય ત્રિકોણ ધરાવતું ‘પરછાંઈ’ આવ્યું. શાંતારામ પોતે તેમાં હીરો હતા અને તેમની પત્ની જયશ્રી અને ત્રીજો ખૂણો તે સંધ્યા. સિલસિલાના વર્ષો પહેલાં ‘પરછાંઈ’ આવેલું, તેમાં શાંતારામે અંધ વ્યક્તિની ભૂમિકા અદા કરેલી. આ ફિલ્મમાં સંધ્યાનું નામ કિશોરી હતું. અપની કહો, કુછ મેરી સુનો, ક્યા દિલ કા લગાના ભૂલ ગયે..ગીત વખતે સંધ્યાના નૃત્યના સ્ટેપ્સ યાદ છે ને ? ૧૯૫૩ની ફિલ્મ ‘તીન બત્તી ચાર રાસ્તા’ માં શ્યામ યુવતી શ્યામા કોકિલની વાર્તા હતી પણ ૧૯૫૫ ની *તમારા ભાઈ ! તમારા ભાઈ પાયલ બાજે..! * કે *જનક જનક પાયલ બાજે!!!!? માં સંધ્યાએ નૃત્યાંગના નીલાનું પાત્ર ભજવેલું. આમાં તે કથ્થક કરે છે. વાસ્તવમાં તેણીએ નૃત્યની પદ્ધતિસર તાલીમ લીધી નહોતી, તેથી નૃત્ય નિર્દેશક અને તે ફિલ્મના હીરો ગોપીકૃષ્ણ પાસેથી તેણે આકરી તાલીમ લીધી. રોજના અઢાર કલાક સાધના ચાલતી. આ એક સીમા ચિહ્ન રૂપ ફિલ્મ બની રહી. ચાર ફિલ્મફેર એવોર્ડ અને એક નેશનલ એવોર્ડ આ ફિલ્મે અંકે કરેલા. ૧૯૫૮ની ‘દો આંખે બારહ હાથ એ પ્રયોગલક્ષી ફિલ્મ હતી. હત્યારા બંદીવાન માટે ઓપન જેલનો પ્રગતિકારક વિચાર એ સમયે કેટલો એડવાન્સ ગણાય નહીં ? રમકડાં વેચતી બાઈની ભૂમિકામાં આ ચંપાએ પ્રાણ પૂરેલા. ૧૯૫૯માં આવેલ નવરંગ એ હિન્દી સિનેમા ઉદ્યોગનું સુવર્ણ પૃષ્ઠ ગણાય છે. જમુના નામની સાદી ગૃહિણીમાં તેના પતિને મોહિની નાં દર્શન થાય છે. આઝાદી પહેલાં શાંતારામે બનાવેલ ફિલ્મ શકુંતલા ની રીમેક “સ્ત્રી” ૧૯૬૧માં બનાવી, જેમાં સંધ્યા શકુંતલા બનેલી. ૧૯૬૩ માં *સેહરા, ૧૯૬૬ માં લડકી સહ્યાદ્રી કી, ૧૯૭૧ માં જલ બિન મછલી નૃત્ય બિન બીજલી અને ૧૯૭૨ માં પીંજરા એ સંધ્યાનું આખરી ચિત્ર. પછી નિવૃત્તિ લીધી અને જાહેરમાં આવવાનું બંધ કરી દીધેલું.

શાંતારામે ત્રણ લગ્ન કરેલાં. પ્રથમ પત્ની વિમલા. તેમનાંથી પ્રભાત, સરોજ અને ચારુશીલા એમ ત્રણ સંતાન. પછી તેમનાં જીવનમાં જયશ્રી આવી જેણે ડૉક્ટર કોટનીસ કી અમર કહાની અને પરછાંઈ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો. જયશ્રી દ્વારા તેમને કિરણ નામે પુત્ર અને રાજશ્રી અને તેજશ્રી એમ બે પુત્રીઓ પ્રાપ્ત થઇ. સંધ્યાને કોઈ સંતાન નથી. રંજના દેશમુખ એ તેમની ભત્રીજી. તેણે ચાની ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવેલું. સંધ્યાને અન્ય નિર્માતાઓ તરફથી કામ કરવા ઓફરો આવતી, પણ ક્યારે ય કોઈ ઓફર સ્વીકારી નહિ. આજે તો સાવ વૃદ્ધ બની ગયાં છે અને જીવન વ્યતિત કરી રહ્યાં છે.

દેવઆનંદનાં જીવનસખી કલ્પના કાર્તિક વિષે જોઈએ.


૧૯/૦૯/૧૯૩૧ ના રોજ લાહોરમાં ખ્રિસ્તી પરિવારમાં જન્મેલ મોના સિંઘ અને પરિવાર દેશનાં ભાગલા થતાં સીમલા આવી ગયેલા. પાંચ ભાઈઓ બહેનોમાં મોના સૌથી નાની. સીમલાની સેન્ટ બેડ્સ કોલેજમાં ભણતી આ યુવતીએ સૌન્દર્ય સ્પર્ધામાં મિસ સીમલા નો ખિતાબ જીતેલો. ફિલ્મ નિર્માતા ચેતન આનંદનું ધ્યાન, આ યુવતી ઉપર પડ્યું. અને એ સહજ હતું. એક તો તેમને હવે પછીની ફિલ્મ આંધિયા માટે નવો ચેહરો જોઈતો હતો અને તેમનાં પત્ની ઉમા આનંદની માતા, આ રૂપાળી મોનાની કઝીન થતી હતી. ફિલ્મ બાઝી માં મોનાને પ્રથમ બ્રેક મળ્યો. ચેતન આનંદે મોનાને ફિલ્મી પડદા માટે નામ આપ્યું કલ્પના કાર્તિક (આ અગાઉ ચેતને ઉમા કશ્યપને ‘કામિની કૌશલ’ બનાવી હતી, તે જાણ સારું.) બાઝી નું દિગ્દર્શન દેવના મિત્ર ગુરુદત્તે કરેલું. દેવાનંદ-ગીતાબાલીના સાથ હેઠળ કલ્પના કાર્તિકની અભિનય સફરનો સરસ આરંભ થયો. ગીતાબાલીની જેમ કલ્પનાને પણ ગીતાદત્તનું પ્લે બેક મળ્યું અને બર્મન દાદાનું સંગીત ગુંજી ઉઠ્યું. બાઝી માં કલ્પના, ડોક્ટર રજની બની હતી. પછીના વર્ષે આવેલી, ફિલ્મ આંધિયાં માં કલ્પના સેકન્ડ લીડમાં હતી. આ ફિલ્મ ખાસ ચાલી નહોતી. ૧૯૫૩ ની ફિલ્મ હમસફર પણ દેવ સાથે જ હતી. ૧૯૫૪ માં ફિલ્મ ટેક્સી ડ્રાઈવરમાં સંગીત ક્ષેત્રે નામ કમાવવા વતનમાંથી મોહમયી નગરી મુંબઈમાં આવેલી માલાની ભૂમિકા કલ્પનાએ ભજવી. તે ગાળામાં સુરૈયાના ગળાડૂબ પ્રેમમાં પડેલ દેવઆનંદ, આજની ભાષામાં કહીએ તો બ્રેકઅપનો ભોગ બનેલો. દેવ-સુરૈયાને જાતિવાદી પરિબળોએ એક થવા ન દીધાં. સુરૈયાએ દેવને કહેવરાવ્યું કે,
“દુનિયા તેમને એક થવા નહિ દે, તેથી દેવે કોઈ યોગ્ય પાત્ર મેળવીને પરણી જવું”. સુરૈયાએ નક્કી કરી નાખેલું કે દેવ સિવાયના તમામ પુરુષો તેને માટે ભાઈ બાપ. સુંદર અને ટેલેન્ટેડ ગાયિકા અભિનેત્રી તૂટેલા હૃદય સાથે આજીવન અપરિણીત રહી પણ તેણે દેવને લગ્ન કરી લેવા કહેલું. તેથી ફટાફટ નિર્ણય લેનાર દેવે, ટેક્સી ડ્રાઈવરના સેટ ઉપર જ કલ્પના કાર્તિકને તેની સાથે જીવન જોડવા પૂછ્યું અને ‘હા’ આવતાં સેટ ઉપર જ તાબડતોબ લગ્ન કરી લીધાં. પછીના વર્ષે આવેલ ફિલ્મ હાઉસ નંબર ૪૪ માં પતિપત્ની બનેલાં દંપતીએ, હીરો હિરોઈન તરીકે કામ કર્યું. આ ફિલ્મમાં ફૈલી હુઇ હૈ સપનોં કી રાહેં, આજા ચલ દે કહીં દૂર…કેવું ફિક્સ બેસી ગયું નહિ ? ૧૯૫૭ માં આવેલ ફિલ્મ ‘નૌ દો ગ્યારાહ’ એ તેમની છેલ્લી ફિલ્મ. પછી કલ્પનાએ નિવૃત્તિ લીધી. સુનીલ નામે દીકરો અને દેવીના નામે દીકરી એમ બે સંતાનોના ઉછેરમાં કલ્પનાએ ઘર સંભાળ્યું અને સમય મળતાં પડદા પાછળ રહીને ‘તેરે ઘર કે સામને’, ‘પ્રેમ પુજારી’, ‘શરીફ બદમાશ’, ‘હીરા પન્ના’ અને ‘જાનેમન’ જેવાં ફિલ્મોનાં નિર્માણની ધુરા સંભાળી.

જીવનના પાછલા વર્ષોમાં એ બે ભાગ્યે જ સાથે જોવાં મળતાં. કહેવાય છે કે કોઈ બાબતે કલહ થયો અને અબોલાની સ્થિતિ ઉભી થઇ. આમ છતાં એ બંનેમાંથી કોઈએ, કોઈને, ક્યારે ય કશુંય કહ્યું નહિ, તે એ બંનેની ખાનદાની દર્શાવે છે. દેવ આનંદના અવસાન પછી હાલ તેઓ મુંબઈમાં પુત્ર સાથે પાછલી અવસ્થાનાં દિવસો પસાર કરી રહ્યાં છે. એક વિશેષ માહિતી એ છે કે દેવઆનંદ અને સુનીલદત્ત ફેમીલી ફ્રેન્ડ હતાં. દેવ કલ્પના અને સુનીલ નરગીસ અવારનવાર મળતાં રહેતાં. તેમનાં આ સંબંધને કારણે દેવને ત્યાં પુત્ર જન્મ્યો તેનું નામ પણ સુનિલદત્ત પરથી જ સુનીલ રાખવામાં આવેલું. આ સુનીલ અભિનયમાં નિષ્ફળ ગયેલો તેથી સ્ટુડીઓ અને બેનર સંભાળે છે.

ત્રીજી દેવી વીરા સુંદર સિંઘ એટલે કે પ્રિયા રાજવંશ છે. ૩૦/૧૨/૧૯૩૬માં સિમલામાં જન્મેલ આ પંજાબી યુવતી, એ પણ ચેતન આનંદની શોધ. ફિલ્મી નામ આપવામાં તેઓ ચેતનવંતા હોવાથી આ યુવતીનું નામ આપ્યું પ્રિયા રાજવંશ. તમે એ નોંધ્યું ? કે ચેતન આનંદ પોતે એમના નામમાં બે શબ્દો ધરાવતા. ચેતન એક અને આનંદ બે. એટલે તેમણે જે અભિનેત્રીનાં નામ પડ્યાં એ બધાં બે શબ્દ વાળા રાખ્યાં. કામિની કૌશલ, કલ્પના કાર્તિક અને પ્રિયા રાજવંશ.

આપણા દેશ ઉપર ચીને ૧૯૬૨માં આક્રમણ કર્યું, ત્યારે યુદ્ધ ઉપર આધારિત ફિલ્મ હકીકત નું નિર્માણ ચેતને કર્યું અને તેમાં પ્રિયા રાજવંશને રજુ કરી. આમાં ચેતને લેખન અને દિગ્દર્શન પણ કર્યું. કાતિલ શિફાઈ અને મજરૂહ સુલતાનપુરીના ગીતોને મદનમોહનનું સંગીત મળ્યું. પ્રિયા ઉપર ફિલ્માવાયેલ ગીત જરા સી આહટ હોતી હૈ ઔર દિલ સોચતા હૈ, કહીં યે વો તો નહીં આજે ય લોકપ્રિય રહ્યું છે. ૧૯૭૦ની રંગીન ફિલ્મ હીરરાંઝા એ પંજાબની બહુ જાણીતી હીર અને તેના પ્રેમી રાંઝાની કરુણાંત કથા પર આધારિત હતી. આ એક જોતાં મલ્ટી સ્ટાર કાસ્ટની ફિલ્મ પણ હતી. મદનમોહને કૈફી આઝમીના ગીતોને સ્વર બદ્ધ કરેલાં. આ ફિલ્મના સંવાદો ગેય હતાં, જે કૈફીની કમાલ હતી. રાજકુમાર અને પ્રિયાની આ જોડીને પછીની બે ફિલ્મોમાં ચેતને રીપીટ કરેલી.

૧૯૭૩ માં ફિલ્મ હંસતે ઝખ્મ એટલે ચેતન આનંદનું બેનર. અહીં પણ નિર્માતા નિર્દેશક ચેતન પોતે હતા. યુવાઓનો માનીતો હેન્ડસમ નવીન નિશ્ચલ અને પ્રિયા સાથે જીવન અને બલરાજ સહાની હતા. ચેતન અને બલરાજ સહાની વર્ષો જૂનાં મિત્રો હોવાથી હકીકત હોય કે હંસતે ઝખ્મ કે પછી હિન્દુસ્તાન કી કસમ.. બલરાજ હોય જ. આ ફિલ્મમાં પણ કૈફી આઝમી અને મદન મોહનની જોડીએ સંગીત રસિકોને રીઝવી દીધાં હતાં. એ જ ગાળામાં બીજી એક યુદ્ધ આધારિત ફિલ્મ હિન્દુસ્તાન કી કસમ આવી. રાજકુમાર, પ્રિયા, અમજદ ખાન, અમરીશ પૂરી, બલરાજ સહાની એ બધાય ને ભેગા કરેલાં.

અગાઉ કરેલી ફિલ્મની રીમેક કરવાનું એક ઝનુન ઘણાં નિર્માતાઓ ધરાવતાં હોય છે. દેવ આનંદને સુરૈયા સાથે ચમકાવવા નવકેતનની સૌથી પહેલી ફિલ્મ અફસર બનાવી હતી. વર્ષો પછી આ અફસરને સાહિબ બહાદુર નામે ૧૯૭૭ માં દેવ આનંદ અને પ્રિયા રાજવંશને લઈને હિમાલય ફિલ્મ્સના નેજા નીચે ફરી બનાવી. દેવ અને ચેતન બન્ને આનંદ ભાઈઓનું સહિયારું સર્જન હતું અને દિગ્દર્શનનો દોર ચેતને સંભાળ્યો. મદનમોહન અને રાજેન્દ્રકૃષ્ણની જોડી અહીં સાવ નિષ્ફળ ગઈ. ઓમ પ્રકાશ, આઈ એસ જોહર જેવા જૂનાં અને અસરાની અને પેન્ટલ જેવાં નવાં કોમેડિયન લીધાં તો ય ફિલ્મમાં કોઈ ભલીવાર નહોતો. ૦૩/૦૪/૮૧ ને દિવસે રજુ થયેલ કુદરત ના નિર્માતા હતા.. બી એસ ખન્ના. ચેતન આનંદનું દિગ્દર્શન હતું. અહીં બીજા નિર્માતા હેઠળ ચેતને દિગ્દર્શન આપેલું. પુનર્જન્મની વાર્તા ધરાવતી ફિલ્મમાં સ્ટાર કાસ્ટ મોટી હતી. રાજેશ ખન્ના, હેમા માલિની, વિનોદ ખન્ના, રાજ કુમાર, પ્રિયા રાજવંશ, અરુણા ઈરાની વગેરે… આર ડી બર્મનના સંગીતે અને મોટા સ્ટારોએ ફિલ્મ સફળ કરી દીધી. ૧૯૮૬ ની હાથોં કી લકીરે એ પ્રિયાની છેલ્લી ફિલ્મ. સંજીવ કુમાર, ઝીનત અમાન, જેકી શ્રોફ, શોભા ખોટે, દીના પાઠક એ સૌ પ્રિયા સાથે હતાં. નિર્માતા નિર્દેશક ચેતન આનંદ અને સંગીત પ્યારે મોહન. આ ફિલ્મ બની કે નહિ, બની તો રજુ થઇ કે નહિ અને રજુ થઇ તો સફળ થઇ કે નહિ એ સંશોધનનો વિષય બને. પણ આ ફિલ્મના વાર્તા લેખક તરીકે નામ પ્રિયા રાજવંશનું બોલે છે !

ચેતન પરણેલા હતા, તેથી પ્રિયાને રહેવા તેમણે એક અલગ ફ્લેટ આપેલો. કોઈ નામ વગરનો તેમનો સંબંધ અને પ્રિયા પાછળ ખર્ચાતા નાણાં એ બધું ચેતન આનંદના દીકરાઓને નહિ રુચતું હોય. ચેતન હયાત હતા ત્યાં સુધી બાપ કમાઈ પર જીવનારા કંઈ બોલી શકે તેમ નહોતા. ચેતન આનંદના અવસાન પછી, એકલી રહેતી પ્રિયાને ઘેર પહોંચીને તેને રહેંસી નાખવામાં આવી. આ ખૂનનો આરોપ ચેતનપુત્રો પર આવ્યો. કોર્ટના કેસ તો યુગો સુધી ચાલે પણ પરણેલા પુરુષ પાછળ આખું આયખું કોઈ સ્ટેટ્સ વગર કાપવું કેટલું કપરું છે તે જગતે જોયું.

આ ત્રણ અભિનેત્રીઓ એવી રહી કે કોઈ એક જ બેનરને વળગેલી રહી. બહારના કોઈ નિર્માતા સાથે ક્યારે પણ કામ ના કર્યું. પરિણામે તેમની ફિલ્મી કારકિર્દી ટૂંકી રહી. પણ એક બાબત સરખી લાગે છે. તેમણે ઓછાં પણ જે કોઈ ગીતો મળ્યાં તે આજે પણ સંગીત ચાહકોના હોઠો ઉપર સફર કરે છે. પ્રિયાના આત્માની શાંતિ માટે અને સંધ્યા અને કલ્પનાના સારા સ્વાસ્થ્ય માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ……

-મનહર શુક્લ

લેખક પરિચય:

નામ : મનહર રસિકલાલ શુક્લ
અભ્યાસ : બી કોમ.
જન્મ તારીખ : ૧૫ ઓગસ્ટ ૧૯૫૦
વ્યવસાય : બેંકની નોકરીમાંથી વય મર્યાદાથી નિવૃત્તિ.
ઈતર પ્રવૃત્તિઓ : અભ્યાસ કાળ દરમિયાન વાર્તા, કાવ્ય, નિબંધ અને નાટય લેખન. નાટય દિગ્દર્શન અને અભિનય. લેખન, કાવ્ય અને વક્તૃત્વ સ્પર્ધામાં ઇનામો મેળવ્યાં.
પાદપૂર્તિ અને એક પાત્રિય અભિનયમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું.
રેડિયો નાટક અને રેડિયો સીરિયલ ના એપિસોડ નું લેખન કાર્ય.
જુદા જુદા સામયિકોમાં સાંપ્રત સમયની વાતો, વાર્તાઓ અને લેખો પ્રગટ થયેલ છે.
હાસ્ય લેખન માટે સાપ્તાહિક કોલમ સમભાવ, મુંબઈ સમાચાર, અને જનસત્તા વર્તમાન પત્રોમાં લખી. આ સાપ્તાહિક કોલમનું કામ સતત પાંચ વર્ષ ચાલ્યું.
હાલમાં SBS બેંકના નિવૃત અધિકારીઓ દ્વારા બે ડિજિટલ મેગેઝિન daily base પર ચાલુ છે. તે પૈકી વિસ્મય. માં સિનેમા ઉપર અને સૃજન માં હાસ્ય લેખ રજૂ થતાં રહે છે.
ફિલ્મ સંગીત કાર્યક્રમો અંગે ભૂતકાળમાં સ્ક્રિપ્ટ લખવાનું કામ કરતો હતો.

મેં ખેલેંગા…!!!

આ લખાય છે ત્યારે ‘સચિન- અ બિલિયન ડ્રીમ્સ’ રીલિઝ થઇ ચુક્યું છે. સચિન તેન્ડુલકર. એ માત્ર નામ નથી, મારી-તમારી જેવા કરોડો ક્રિકેટના રસીયાઓને આજે પણ વગર ઠંડીએ ઉકારાટા લાવી દે, આંખો ઝનુનથી લાલ કરી દે અને દિમાગમાં ક્રાક્રાતોઆ જવાળામુખી ફાટે એટલી તીવ્રતાથી દેશપ્રેમ ભરી દે એવો ધાંય ધાંય અહેસાસ છે. ધૈવતભાઈએ ઓરકુટ સમયે લખ્યું હતું કે, ‘આજે ય ૧૨૫ કરોડ લોકોને સચિન ક્રીઝ પર હોય ત્યાં સુધી છાતીએ પાણી હોય છે કે ના, હજુ આપણે નહીં હારીએ.’ આટલી તોતિંગ પ્રતિભા ખડી કરનાર મુંબઈ ચા મુલગાએ કંઈ કેટલાય લોકોને પરોક્ષ રીતે આગળ વધવા, મૂંગા મોઢે ટીકા પચાવતાં રહેવા અને તોય પોતાના લક્ષ્ય તરફ ધપતાં રહેવા સતત પ્રેરણા આપી છે. એક આખી જનરેશન એની સાથે મોટી થઇ છે, એની સાથે આપણે આપણી જુવાની કાઢી છે; અને પેલો છ મિનીટનો ઇન્ડિયા વર્લ્ડ કપ જીતે છે એ વિડીયો કહે છે એમ, We waited; and 1 man waited with us…

અને એટલે જ માઉન્ટ મેઘદૂત આવી પર્સનલ ફેવરીટ પ્રતિભા વિષે પોતાના વિચારો/પોતાની યાદો કહેવા કેટલાંક લોકોને કિ-બોર્ડ હવાલે કરે છે. આ લોકો ક્રિકેટ સાથે જોડાયેલા છે. ક્રિકેટના ફેન છે, પોતે ક્રિકેટ રમે છે અને ક્રિકેટના વિશેષ રસિયા છે. (કહો કે ચરસી છે.. 😉 ) તો, આજે જેને કિ-બોર્ડ હવાલે કરીએ છીએ એ મિત્ર ઉત્તમ વાંચક હોવાની સાથે સાથે ક્રિકેટના એન્સાયકલોપીડિયા તરીકે મિત્રવર્તુળમાં નામના ધરાવે છે.

પ્રસ્તુત છે, અપને સચિનની કહાની, નીરવ પંચાલ કી  ઝુબાની…
(Disclaimer: અમે ઈરાદાપૂર્વક ઈમેજીસ નથી મૂકી, કેમકે સચિન માટે ઈમેજ મુકવી પડે તો શું ખાક તમે ફેન છો ક્રિકેટના? 😛 )


મોટેભાગે દર વર્ષે રાષ્ટ્રપતિ ભવન દ્વારા ચુનંદા ખેલાડીઓને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. ભારતમાં સ્પોર્ટ્સ એવોર્ડ્સમાં આ એવોર્ડ સર્વશ્રેષ્ઠ છે. વર્ષ 1998 ની 29 ઓગસ્ટે ભારતના રાષ્ટ્રપતિ શ્રી કે.આર. નારાયણ દ્વારા એક ચોક્કસ ક્રિકેટરને આ એવોર્ડ અપાયો હતો અને પછીની ઘટના આ એવોર્ડનું કવરેજ કરતા ભારતીય મીડિયા માટે આશ્ચર્ય જનક હતી.

સચિન તેંડુલકર ઓસ્ટ્રેલિયાની ટુર બાદ એવોર્ડ સ્વીકારવા માટે દિલ્હી રાષ્ટ્રપતિ ભવન આવી પહોંચ્યો હતો. એજ દિવસે સૌરવ ગાંગુલી અને અજય જાડેજાનું અર્જુન એવોર્ડ દ્વારા સન્માન થવાનું હતું. ભારતના એ સમયના ક્રિકેટિંગ સ્ટાર્સ આવવાના હોઈ સ્વાભાવિક રીતે રાષ્ટ્રપતિ ભવનમાં હલચલ સામાન્ય કરતા વધુ હતી. જે બેઠકો પ્રેસ માટે અનામત હતી એના પર પ્રેસિડેન્શિયલ સ્ટાફ અને એમના કુટુંબીજનોએ બઠાવી લીધી હતી. એવોર્ડ સેરેમની પત્યા પછી સ્નેહમિલન સમારોહ હતો જેમાં બધા એવોર્ડવિજેતાઓ સાથે રાષ્ટ્રપતિ પોતે વાતચીત કરે એવો સામાન્ય ધારો હોય છે. એ દિવસે કૈંક અલગ બન્યું. એવોર્ડ પત્યા પછી તમામ આમંત્રિત મહેમાનો, બીજા ખેલાડીઓ, પ્રેસિડેન્શિયલ સ્ટાફ એમના કુટુંબીજનો, ખુદ રાષ્ટ્રપતિના અંગરક્ષકો, મંત્રીમંડળ અને અન્ય વીઆઈપી મહેમાનો સચિનનો ઓટોગ્રાફ લેવા ધસી ગયા. ત્યાં સૌરવ ગાંગુલી અને અજય જાડેજા પણ હાજર હતા પણ એમને એ ઘટના શોકિંગ નહોતી લાગી। પણ જયારે મીડિયાકર્મીની નજર બીજી દિશામાં ગઈ ત્યારે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ હાથમાં  ચા નો કપ લઇને, વિસ્ફારિત આંખોથી ભીડ સામે જોતા ભવનના એક ખૂણામાં જોવા મળ્યા. આ પ્રકારની ઘટના ના ભૂતો: ના ભવિષ્યતિ પ્રકારની હતી.
કોણ છે સચિન તેંડુલકર? માત્ર એક ક્રિકેટર તો નથી જ? તો? અંગ્રેજીમાં જેમ કહે છે એમ The Man or The Myth?

ભારતીય ક્રિકેટ ટીમ 1932 થી આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચીસ રમે છે. 1932 થી લઇને 2017 સુધીના દાયકાઓમાં કેવા પ્લેયર્સ ભારત માટે રમ્યા? 1930ના દાયકામાં કર્નલ સી.કે. નાયડુ, 1940માં વિજય મર્ચન્ટ, 1950માં ઓલરાઉન્ડર વિનુ માંકડ, 1960માં મન્સુર અલી ખાન “ટાઇગર” પટૌડી, 1970માં ગાવસ્કર, 1980માં કપિલદેવ, 1990માં સચિન, સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડ, 2000માં એમ.એસ.ધોની અને 2010 પછી વિરાટ કોહલી. આમાંથી એક અવ્વલ નામ કે જે બાકીના દિગ્ગજો પણ સ્વીકારે છે એ સચિન તેંડુલકર. શું આટલી ઓળખ પૂરતી ખરી? ના.

સચિનને ઓળખવા માટે પહેલા મુંબઈ ક્રિકેટને ઓળખવું પડે. મુંબઈ ક્રિકેટથી વધુ સ્પર્ધાત્મક ક્રિકેટ આખા દેશમાં ક્યાંય નથી. સ્કૂલ લેવલથી લઇને ઓફિસ લેવલ સુધીનું સ્ટ્રક્ચર્ડ ફોર્મેટ તૈયાર થઇને ઉભરી આવ્યું હોય, તો મુંબઈ ક્રિકેટ સિવાય બીજે ક્યાંય એટલું સફળ નથી. મુંબઈ ક્રિકેટનો દબદબો એટલે સુધી છે કે મુંબઈની રણજી ટીમ ભારતના ડોમેસ્ટિક ક્રિકેટની અગ્રેસર રણજી ટ્રોફી 41 વાર જીતી છે. એમાં પણ 1958-59 થી લઇને 1972-73 સુધી સળંગ 15 વર્ષ સુધી વિજેતા રહી છે. ઘણા વર્ષો સુધી મુંબઈના ક્રિકેટર્સ ભારતની રાષ્ટ્રીય ટીમમાં પસંદગી પામતા રહ્યા એમનું એક કારણ આ હતું. મુંબઈ બેટિંગ સ્કૂલએ પ્લેયર્સ પણ કેવા આપ્યા? વિજય મર્ચન્ટ, રુસી મોદી, પોલી ઉમરીગર, દિલીપ સરદેસાઈ, નરીમાન કોન્ટ્રાકટર, વિજય માંજરેકર, અજિત વાડેકર, સુનિલ ગાવસ્કર, સંદીપ પાટીલ, સંજય માંજરેકર, વિનોદ કામ્બલી અને સર્વશ્રેષ્ઠ સચિન તેંડુલકર ! “ખડુસ” બેટિંગના ધોરણે એક જ નિયમ હતો. બેટ વન્સ, બેટ બિગ.

મુંબઈ ક્રિકેટના ક્રોસ મેદાન કે આઝાદ મેદાનનું અવલોકન કરો તો તમને મિડવિકેટ પોઝિશનમાં ફિલ્ડિંગ કરતો પ્લેયર સામાન્ય કરતા વધુ નજીક ઉભેલો લાગે તો ફરી અવલોકન કરવું! એ ખેલાડી એ જ મેદાનમાં બાજુની પીચ પર રમાતી મેચમાં ફાઈન લેગ પોઝિશન પાર ફિલ્ડિંગ ભરતો દેખાશે. કહેવાનું તાત્પર્ય એ છે કે એક સામટી આટલી મેચો એક મેદાનમાં રમાતી હોય અને આ જ ઘટના રોજેરોજ થતી હોય તો એ સિસ્ટમમાંથી બહાર આવતા પ્લેયર્સની એકાગ્રતા અને ક્રિકેટ ટીમમાં પોતાનું સ્થાન બનાવી રાખવાનું પ્રેશર અભૂતપૂર્વ હોય છે.

કાંગા લીગ ચોમાસામાં દરેક રવિવારે રમાતી હોય છે. ટાઈમ્સ શિલ્ડ એ ઇન્ટર ઓફિસ લીગ છે. અંડર 15 અને અંડર 17 માટે હેરિસ શિલ્ડ અને જાઈલ્સ શિલ્ડ ટુર્નામેન્ટ હોય છે, આમ દરેક ઉમરના પ્લેયર્સ માટે આખું વર્ષ ક્રિકેટ રમી શકાય એમ કેલેન્ડર ગોઠવાતું હોય છે.શારદાશ્રમ એ એવા વિદ્યાર્થીઓ માટેની સ્કૂલ હતી જેઓ ક્રિકેટને સિરિયસ સ્પોર્ટ્સ તરીકે ગણતા હતા અને સ્કૂલમાં એને અનુરૂપ વાતાવરણ પણ હતું. ભણવા માટે બીજી ઘણી સ્કૂલ્સ હતી પણ ક્રિકેટમાં એક જ અવ્વ્લ સ્કૂલ, શારદાશ્રમ. શારદાશ્રમમાં થી ભારતને 4 ઇન્ટરનેશનલ ક્રિકેટર્સ મળ્યા છે. ચંદ્રકાન્ત પંડિત, પ્રવીણ આમરે, સચિન તેંડુલકર અને વિનોદ કામ્બલી  ! સચિન તેંડુલકર શારદાશ્રમમાં હતો ત્યારે તેના કોચ રમાકાન્ત આચરેકર હતા.

1988ની હેરિસ શિલ્ડ ટ્રોફીની સેમિફાઇનલ યાદગાર છે. તે મેચમાં સચિન તેંડુલકર અને વિનોદ કામ્બલીએ કોચ રમાકાન્ત આચરેકરની ગેરહાજરીનો ભરપૂર ફાયદો ઉઠાવીને સેન્ટ ઝેવિયર્સની ટીમની ભરપૂર ધોલાઈ કરી હતી. સચિનની કપ્તાનીમાં ટોસ જીતીને શારદાશ્રમે બેટ વન્સના નિયમ મુજબ પહેલા બેટિંગ લીધી. 84/2 ના સ્કોર પર સચિન તેંડુલકર ને વિનોદ કામ્બલીનો સાથ મળ્યો. પ્રથમ દિવસના અંતે વિનોદ નો સ્કોર 182* અને સચિન 192*. આચરેકર પ્રથમ દિવસે મેદાનમાં હાજર હતા પણ બીજા દિવસે કોઈ કારણોસર હાજર નહોતા રહી શક્યા  એટલે એમને આસિસ્ટન્ટ કોચ લક્ષ્મણ ચવાણને ટીમના 500 રન થાય એટલે ઇનિંગ ડિક્લેર કરાવવાની સૂચના આપી હતી. સચિનને કોચ હાજર નથી એ વાતની જાણ હતી એટલે એણે વિનોદને સૂચના આપી કે લક્ષ્મણ ચવાણ સામે જોયા વગર બેટિંગ કરતા રહીએ. બીજા દિવસના લંચ બ્રેક પર ટીમનો સ્કોર 748/2 અને સચિનને ફરજીયાત ઇનિંગ ડિક્લેર કરવાની ફરજ પડી. એ વખતે તેંડુલકર નો સ્કોર 326* અને કામ્બલી નો સ્કોર 349* હતો.  માત્ર 120 ઓવરમાં બંને બેટ્સમેનએ નિર્દયતાથી 748 રન કર્યા હતા અને અંતે મેચ જીતી ગયા. (સાઇરાજ બાહુતુલે સેન્ટ ઝેવિયર્સનો કપ્તાન હતો.)

અહિંયા એક વાત નોંધવી રહી કે તેંડુલકરની શરૂઆતી પ્રેક્ટિસ સિમેન્ટ પીચ પર ભીના થયેલા રબર બોલ પર આધારિત હતી જેનાથી એના નૈસર્ગીક રીતે સ્ટ્રોંગ ફ્ર્ન્ટ ફુટ સ્ટ્રોક્સ અને  ઓન ધ રાઈઝ હતા જેનો સ્વાદ દુનિયાભરના ફાસ્ટ બોલર્સ ચાખવાના હતા. ન્યુઝીલેન્ડના બેટિંગ લીજેન્ડ ગ્લેન ટર્નરને તેંડુલકરની ક્રોસ બેટેડ ગ્રીપ જોઈને નવાઈ લાગી હતી પણ આજ ગ્રીપને કારણે તેંડુલકર ઓફ સ્ટમ્પના બોલની લાઈન કવર કરીને મીડ વિકેટ, સ્ક્વેર લેગ, પોઇન્ટ, થર્ડમેન, કવર, લોન્ગ ઓફ અને લોન્ગ ઓન બાજુ મરજી મુજબ શોટ્સ મારી શકતો। છેલ્લા 5 વર્ષથી ક્રિકેટમાં  ડેટા એનાલિસિસ વધવાને કારણે બોલર્સ આસાનીથી જાણી શકે છે કે કયા બેટ્સમેનને ક્યાં બોલ નાખવો પરંતુ જે બેટ્સમેનની સ્ટ્રોક રેન્જ આટલી મોટી હોય ત્યાં એક ઇંચની ભૂલ પણ ટીમને 4 કે 6 રન જેટલી મોંઘી પડી જાય.

16 વર્ષની ઉંમરમાં ટેસ્ટ કારકિર્દીની શરૂઆત પાકિસ્તાનની ટુર થી ઇમરાન ખાન, વસીમ અક્રમ, વકાર યુનુસ, આકીબ જાવેદ અને અબ્દુલ કાદિર જેવા ધરખમ બોલિંગ એટેક સામે થઇ. શોટ પૂરો થાય એ પહેલા બોલ સુસવાટાભેર નીકળી જતો હોય, બનાના યોર્કર સ્વિંગિંગ બોલ સામે સ્ટમ્પ્સ ગુલાંટ ખાઈ જતા હોય અને ગુડ લેન્થ ડિલિવરી ખભા ઉપરથી પાર થતી હોય, અને ક્રાઉડ સપોર્ટ ઝીરો હોય એવા સંજોગોમાં બીજી ટેસ્ટ મેચમાં તેંડુલકરે ઉપયોગી  59 રન બનાવ્યા.

અસલી ધમાકો ચોથી ટેસ્ટમેચમાં થયો. અગાઉ 3 મેચ ડ્રો થઇ હતી અને બંને ટીમ એકબીજા સામે પોતાનો શ્રેષ્ઠ દેખાવ કરી રહી હતી. વકાર યુનુસનો એક બોલ ધાર્યા કરતા ઓછો બાઉન્સ થયો અને બેટની ટોપ એજ લાગીને તેંડુલકરના નાક પર વાગ્યો, એની હેલ્મેટ ગ્રીલ વગરની હતી. મેચ જોવા આવેલ ક્રાઉડ લોહી તરસ્યું થઇને હુરિયો બોલાવી રહ્યું હતું। ટીમના ફિઝિયો સચિનના લોહી નીકળતા નાક સામે રૂ ના પેલ મૂકી રહ્યા હતા અને રિટાયર્ડ હર્ટ થવાની સલાહ આપતા હતા. તેંડુલકરે એમને હડસેલીને કહ્યું ” મેં ખેલેંગા” લોહી નીકળતા નાક સાથે ફરી સ્ટાન્સ લીધું। વકાર યુનુસનો રનઅપ, આઉટસાઇડ ઑફ સ્ટમ્પ ફુલ લેન્થ સ્વિંગિંગ ડિલિવરી અને તેંડુલકરે અદભુત સ્કવેર ડરાઇવ રમીને બાઉન્ડરી બહાર મોકલી આપી. ફ્લુક સમજીને ફરી વકાર યુનુસનો રનઅપ, આઉટસાઈડ ઑફ સ્ટમ્પ શોર્ટ પીચ્ડ, તેંડુલકરે એને કવર પોઇન્ટ પરથી કુદાવીને ઓન ધ રાઈસ શોટ માર્યો અને ફરી એજ  પરિણામ, બોલ બાઉન્ડરી બહાર। પહેલી વાર એવું થયું હતું કે કોઈ ભારતીય બેટ્સમેને પાકિસ્તાની ફાસ્ટ બોલર્સને ક્રૂરતાથી એમની જ ભાષામાં જવાબ આપ્યો હતો. જે ક્રાઉડ હુરિયો બોલાવી રહ્યું હતું તે ક્રિકેટિંગ જીનિયસના શોટ સિલેક્શન અને એના ટેમ્પરામેન્ટને જોઈને સ્તબ્ધ થઇ ગયું હતું. ભારતના પ્રખ્યાત સ્પોર્ટ્સસ્ટાર મેગેઝીનની હેડલાઈન હતી – The Wonder Boy is Here to Stay…

સચિનને અપાતા ટ્રિબ્યુટમાં વિખ્યાત મેગેઝીન ટાઈમનો એક લેખ ખુબ અદભુત છે.

સમય દરેક મનુષ્યને પોતાનો પરચો બતાવે છે પણ એણે એક વ્યક્તિને બાકાત રાખ્યો લાગે છે. સચિન તેંડુલકર સામે સમય થંભી જાય છે. આપણે વિજેતાઓ જોયા છે, આપણે લીજેન્ડરી પ્લેયર્સ જોયા છે, પણ આ પહેલા આપણી પાસે સચિન નહોતો અને ભવિષ્યમાં પણ સચિન જેવો બીજો ખેલાડી નહિ મળે.

જયારે સચિન સૌ પ્રથમવાર પાકિસ્તાન ટુર પાર ગયો ત્યારે માઈકલ શુમાકરની પહેલી ફોર્મ્યુલા 1 રેસ થવાની બાકી હતી, લાન્સ આર્મસ્ટ્રોંગે હજી ટુર-ડી-ફ્રાન્સમાં ભાગ લીધો નહોતો। ડિએગો મેરાડોના વિશ્વ વિજેતા આર્જેન્ટિનાની ફૂટબોલ ટીમનો કેપ્ટ્ન હતો અને પિટ સામ્પ્રાસે ગ્રાન્ડ સ્લેમ જીત્યું નહોતું. રોજર ફેડરરનું નામ અજાણ્યું હતું, લાયનલ મેસી હજુ બાળક હતો, ઉસૈન બોલ્ટનું નામ કોઈએ સાંભળ્યું નહોતું, બર્લિન વૉલ હજુ સાબૂત હતી અને યુ.એસ.એસ.આર. એક મોટો દેશ હતો.

લેખનું તાત્પર્ય એ હતું કે સચિનના કાળખંડ દરમિયાન જેટલા પણ મોટા ખેલાડીઓ હતા, (ક્રિકેટ અને ક્રિકેટ સિવાયની રમતોમાં) એ બધા અસ્ત થઇ ગયા, કોઈની કારકિર્દી સમાપ્ત થઇ ગઈ કે પછી કોઈ સચિન જેટલું લોકપ્રિય રહ્યું નહિ. સચિન નિવૃતિ બાદ પણ જો ક્યાંય દેખા દે તો એ આજે પણ એટલીજ મોટી ખબર છે. ફેન્સ હજુ પણ ફોટો અને ઓટોગ્રાફ માટે આતુર હોય છે. મારા જેવા ફેન્સની એક આખી પેઢી સવારે 4.30 વાગે ઉઠીને એની ઇનિંગ જોવા ટીવી સામે ગોઠવાઈ જતી હતી. ન્યુયોર્કમાં આખો દિવસ કોલેજ અને બીજી જફાઓ વચ્ચે રાતે ઘરે પહોંચીને લાઈવ સ્ટ્રીમ કરીને તેંડુલકરની સ્ટ્રેટ ડરાઇવ જોવાથી થાક ઉતરી ગયાના અનુભવો પણ છે. રાતે આંખો બંધ કર્યા  બાદ કેટકેટલી વાર તિરંગાના સ્ટીકર વળી હેલ્મેટ પાછળનો ચેહરો જોવા મળે. ગાર્ડ એડજસ્ટ કરીને લેગ સ્ટમ્પ પાર લેવાતું સ્ટાન્સ , પગની ટ્રીગર મુવમેન્ટ અને ફાસ્ટબોલરની પાસેથી ગોળીની જેમ નીકળતો શોટ કે જેને જોતા મીડ ઑફ પર ઉભેલો ફિલ્ડર નિઃસહાય  બની માથું ઝુકાવી દે.

કોઈ પણ બેટ્સમેનના ફોર્મ માટે એક શબ્દ વપરાય છે. પર્પલ પેચ, સચિન માટે પર્પલ સીઝન હતી. ટી-20ના આગમન પહેલા 1994માં તેંડુલકરે ન્યુઝીલેન્ડના ડેની મોરિસન અને ક્રિસ પ્રિંગલ જેવા અનુભવી બોલરોની ઓકલેન્ડમાં સર્વિસ કરી હતી. એ ઇનિંગ મોડર્ન ટી-20નું ટેમ્પ્લેટ હતી. 49 બોલમાં 82 રન. 24 ઓવેર માં 143 રન નો ટાર્ગેટ ચેસ કરીને દુનિયાને અચંબિત કરી દીધી હતી. એવું નહોતું કે પહેલા આવી ઇનિંગ રમાઈ નહોતી. ગેરી સોબર્સ, વિવિયન રિચાર્ડસ, બ્રાયન લારા કે પછી મોહંમદ અઝહરુદ્દિન આવા કારનામા કરી ચુક્યા હતા પણ તેંડુલકર જેવું એગ્રેશન અને સંતુલન દુનિયાએ પહેલીવાર જોયું હતું. તેંડુલકરની તાકાત તેના આત્મવિશ્વાસમાં હતી. વિરોધી ટિમના શ્રેષ્ઠ બોલર્સને બેખોફ રીતે ફ્રન્ટ ફુટ પર રમીને ધૂળ ચટાવવા જેવી સ્ટ્રેટેજી તેંડુલકર બાદ જયસુરીયાએ વિકસાવી. એનું એક ઉદાહરણ કોકોકોલા કપ છે. ફાઇનલ પહેલા ઝિમ્બાબ્વેના હેન્રી ઓલૉન્ગાએ ભારતીય ટોપ ઓર્ડરને વીંખી નાખ્યો હતો અને પછીની મેચમાં ઓલૉન્ગાએ સચિનનું વિશ્વસ્વરૂપ જોયું. ફરીથી એજ લેગ સ્ટમ્પ પર સ્ટાન્સ અને ઓલૉન્ગાની કારકિર્દીની સૌથી ખરાબ ધોલાઈ. ઝિમ્બાબ્વેના 196 રન ના ટાર્ગેટને એક પણ વિકેટ ગુમાવ્યા વગર 30 ઓવર્સમાં ચેઝ કરીને જાણે ચેલેંજ આપી. When you come at the King, you best not miss.  ઑફ સ્ટમ્પ બહારના બોલને પોઇન્ટ પરથી સિક્સ માર્યા બાદ પીચ પર જઈ બેટ વડે રૂટિન ઠક, ઠક, ઠક અને વળી પછી ધોલાઈ શરુ. આખરે એ મેચમાં 6 ઓવર બાદ ઓલૉન્ગાને ફરી ક્યારેય ઓવર કરવા ના મળી.

શારજાહના મેદાનમાં આ પહેલા પણ આવી ફિલ્મ ભજવાઈ ગઈ હતી, ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર્સને બેરહેમીથી ફટકારવામાં આવ્યા હતા, માઈકલ કાસ્પ્રોવિકસ, ડેમિયન ફ્લેમિંગના જેન્યુઈન વિકેટ ટેકિંગ બોલ બાઉન્ડરી લાઈનની બહાર મોકલી દેવાતા હતા. આઉટસ્વિંગ બોલને ફ્રન્ટ ફુટ કવર ડ્રાઈવ અને ઇનસ્વિંગિંગ બોલને બેકફૂટ પંચ દ્વારા એજ દિશામાં જતો જોઈ બોલર્સ હતાશ થઇ ગયેલા। ચોપડીમાં લખ્યું હોય તેમ પેજ નો. 54, બીજા ફકરામાં લખ્યું હોય એમ હાઈ એલ્બો, સ્મૂધ ફોલૉ થ્રુ અને પ્રેક્ષકોના હાઈ ડેસીબલ અવાજની વચ્ચે બેટ અને બોલના સંગમ દ્વારા આવતો એક જાણીતો અવાજ। થડ! અને કેમેરો બોલની દિશામાં ફરે એ પહેલા બોલ બાઉન્ડરી લાઈન પાસે પહોંચી ગયો હોય.

સચિન કોણ છે એનો જવાબ મારી પાસે નથી, પણ સચિનની સામે નોન સ્ટરાઇક પર ઉભા રહી ને જેમ મેં પણ શેન વોર્નના લેગ સ્ટમ્પની બહાર ટપ્પી પડતા બોલને બહાર આવીને એના માથા પરથી સિક્સ મારતો જોયો છે.  કાસ્પ્રોવિક્સના પરફેક્ટ બ્લોક હોલ બોલને એના માથા પરથી કુદાવીને એને ઊંધા હાથની લપડાક મારી ત્યારે હું પણ ત્યાં જ હતો. મેક્ગ્રાથના અહંકારને નૈરોબી જીમખાના ગ્રાઉન્ડમાં તોડ્યો ત્યારે એની હતાશા જોઈને  કર્યું હતું. સિડનીના ગ્રાઉન્ડ પર સચિનની સાથે રહીને જેમ મેં આખી ઇનિંગમાં એક પણ કવર ડરાઇવ નથી મારી। મેં પણ મેકડરમોટને સ્કવેર લેગ પર ફ્લીક કરી છે.  ગુવાહાટીમાં ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર્સને દોડાવી દોડાવીને માર્યા ત્યારે હું પણ ત્યાંજ હતો. મેં પણ શોએબ અખ્તરને સેન્ચ્યૂરીયનમાં થર્ડમેન પર ઝંઝાવાતી સિક્સ મારીને નાથ્યો છે, અને છેલ્લે જયારે 28 વર્ષના લાંબા અંતરાલ બાદ ભારત વિશ્વકપ જીત્યું ત્યારે મારી જોડે તમે બધાએ એ કપ ઉચક્યો હતો.