બહુ ચર્ચાઓ ચાલી છે સરદારના નામે. માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ કેરમની કુકરીને સ્ટ્રાઈકર મારે એમ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની જાહેરાત કરી અને આખું મીડિયા ‘બ્રેકીંગ ન્યુઝ ઓર્ગેઝમ’ પામીને ધન્ય થઇ ગયું. અચાનક સરદાર સરદાર થઇ ગયું. 😛 અહિયાં એટલું બધું જ્ઞાન એમના વિષે ઠલવાઈ ગયું છે કે સરદાર પર પી.એચ.ડી કરનારા પણ રીટાયર થવા આવ્યા હશે. નવી પેઢી માટે સરદાર કોણ એ મીડિયા કહેતું નથી, અને જે કહે છે એ મોટાભાગે એકતરફી અને અધૂરું હોય છે. સરદાર આપણા વડાપ્રધાન હોત તો? નામની રોઝી ચર્ચા હજીય વકતૃત્વ સ્પર્ધાઓમાં હોટ ફેવરીટ ટોપિક છે. 😉
સરદાર-નેહરુ મતભેદ એ દેશવ્યાપી ચર્ચાનો વિષય છે.તમે કોઈ પણ ગાંધીતરફી કે ગાંધી વિરોધી વ્યક્તિને આ બાબતે પૂછો એટલે જાણે પોતે ગાંધીજી[કે ફોર ધેટ મેટર, ખુદ નેહરુ]હોય એમ પોતાનો વ્યુ આપવા માંડે. એના પર જે લેવલે જેટલા વિવેચનો થયા છે કે વિવાદો થયા છે એના બે ટકા પણ જો રામમંદિર બનવું જોઈએ કે નહિ એ લેવલમાં વાતો થઇ હોત તો એ પ્રશ્ન ક્યારનોય ઉકેલાઈ ગયો હોત લોલ્ઝ.. 😛 મુદ્દો એ છે કે કોઈ એ વખતના માહોલ, બંનેની ફેમીલીની હાલત કે પોતાના કરતા દેશ વધુ છે એ ભાવનાને જોતું જ નથી. માણસનું વ્યક્તિત્વ એના ડીસીશન અને એના ફેમિલીના સંજોગો વખતના રીફ્લેક્સીસ પર વધુ ડીપેન્ડ કરે છે.તોય, તમે એને પુરેપુરો તો સમજી જ નથી શકતા.
કેતન મહેતાએ ‘સરદાર’ બનાવી એમાં સિનેમેટિક લીબર્ટી લીધી છે એવું કહેવું થોડું પક્ષપાતી લાગે પણ અમુક વિગતો બહુ જ સરસ ઉપસાવી છે. રમખાણો વચ્ચે ગાંધીજીની જેમ જ સરદાર રીતસરના ધસી ગયા હતા અને રમખાણમાંથી ભાગી છૂટીને પોલીસ સ્ટેશન એ આવેલા માનવીને ‘તું શું જખ મારવા ઉભો હતો ?’ ટાઈપ ઘઘલાવી નાખવામાં પણ જવાબદાર વ્યક્તિના દર્શન થાય છે. આ બધાની સાથે સરદાર ‘લે બોધુ ને કર સીધું’ વાળું વ્યક્તિત્વ ધરાવતા હોય એવી છાપ અનેક લોકોમાં પડી છે. નેહરુ અને સરદારના મતભેદને ગાંધીજી સુપેરે ઓળખતા હતા પણ એ અંગે સરદાર-ગાંધી-નેહરુ વચ્ચે જે પત્રબાજી થઇ હતી એ ખુબ ટૂંકમાં પણ અસરકારક રીતે કેતન મહેતા એ ઉપસાવી છે.
ગાંધીજીના જ બે અલગ અલગ ગુણો રૂપે સરદાર અને નેહરુ ઉપસ્યા હતા. ગાંધીજી જેવો કેરીઝ્મેટીક પાવર અને લખાણ નેહરુમાં ઉતર્યા હતા અને આખા જનસમૂહને પકડી રાખવાની કળા સરદારમાં ઉતરી હતી. એક જ વ્યક્તિત્વમાંથી વડવાઈની જેમ બે ફાંટા પડ્યા હોવા છતાંય સરદાર અને નેહરુ ગાંધીજીને વળગી રહ્યા હતા. ફિલ્મમાં બેયના મતભેદોને માઉન્ટબેટન ગાંધીજીના વિંધાયેલ મૃતદેહ પાસે પુરા કરાવે છે એ દ્રશ્ય ઇતિહાસે સ્થિર કરી દીધું છે.
પાપીની કાગવાણી:
“પુ.બાપુ,
દેશને સરદાર જેવા સમર્થ અને મજબુત નેતા મળે એ જરૂરી નહિ પણ અતિ આવશ્યક છે. મને એ વડાપ્રધાનપદ માટે યોગ્ય ગણે છે એ એમની મહાનતા છે. જે રીતે એમણે અત્યાર સુધી આંદોલનોની બાગડોર સંભાળી છે એ જોતા મારી દ્રષ્ટિએ એ સર્વાથાયોગ્ય પસંદગી છે. હું અનેક વર્ષોની રઝળપાટ અને જેલવાસોથી થાક્યો છું.શરીરને આરામની જરૂર છે. તેમ છતાય મારી જાત ચાલે છે ત્યાં સુધી દેશની સેવા જે રૂપે કરવા મળશે એ રીતે કરતો રહીશ એ બાબતે બેફીકર રહેજો.મારી અને સરદાર વચ્ચે મતભેદ છે, મનભેદ નથી. હું સરદારને કાયમ સાથ આપતો રહીશ. હું એ બરાબર જાણું છું કે સરદાર આ પ્રસ્તાવનો વિરોધ કરશે જ, પણ દેશને જેવી મજબુત દિશા આપનાર ખલાસીની જરૂર છે, એ લાયકાત સરદારની છે; મારી નથી. એ જમીનથી જોડાયેલા ઇન્સાન છે. દેશના સામાન્ય માનવીની વેદનાને મારી કરતા વધુ પિછાણે છે. હું આ દેશના સર્વોચ્ચ સ્થાનરૂપી કાંટાળો તાજ અને એનો ભાર સહન કરી શકું એવી મારી સ્થિતિ નથી. માટે મારી આગ્રહભરી નમ્ર વિનંતી છે કે આપ એમને આ સ્થાને બેસાડો. હું એમના અદના સેવક તરીકે દેશસેવામાં મદદરૂપ થઇ શકું એનાથી મોટી સદભાગ્યની બાબત બીજી હોઈ જ ન શકે.”
– લી. એ જ આપનો,
જવાહર.
“દેશ આખામાં એવી છાપ છે કે ગાંધીજીએ સરદારને અન્યાય કરીને વડાપ્રધાન બનવા ન દીધા. જાણે અજાણે બીજી કેટલીય એવી બાબતોમાં ગાંધીજીએ એમનું ધાર્યું કરીને સરદારને યોગ્ય પગલા લેવા નથી દીધા એવું ઇતિહાસનું કલંક એમના માથે લાગેલું છે ત્યારે આ પુસ્તક, વિશેષ તો ગાંધીજીના પ્રપૌત્ર હોવાના નાતે સરદાર તરફનું ઋણસ્વીકાર છે,તર્પણ છે એ ભૂલોનું, જે ગાંધીજીએ કરી હતી.”
આટલું વાંચીને અંદર કૈક થયું? તો આ વાંચો :
> સરદાર- એક સમર્પિત જીવન by રાજમોહન ગાંધી.