“How about making an interview with Krushn?”
“hahaha ,are you serious?”
“Why not? Krushn ne redefine karvani jarur che. tne nthi lagtu?”
“halop.hu draft banavu chu,joi leje… 😉 ”
આ સંવાદથી રચાઈ કૃષ્ણ ભાગ એક. અમને કોઈનેય નહોતી ખબર કે વખત જતા આ આખી સીરીઝ બનશે. 🙂 પહેલો ભાગ ટોટલી હર્ષે લખ્યો.બીજા ભાગમાં પ્રશ્નો ક્યાં અને કેવા લેવા એની મુંઝવણ થઇ ત્યારે પ્રશમે કી-ફેક્ટરની ભૂમિકા ભજવી. ત્રીજા ભાગનું શ્રી ગણેશ થતાની સાથે બે મોટ્ટા બનાવ બન્યા.એક, આ ટીમમાં અનુભવી અને ‘ક્રેક’ 😉 એવા ભુમ્સનું આગમન થયું અને બે, આ બ્લોગની વ્યુઅરશીપ હજારને અડી. 🙂
એક્ચ્યુઅલી, અમે પહેલા પણ આ સીરીઝમાં લખ્યું છે એમ- આ સંવાદ કૃષ્ણ જોડે નથી, આ પોતાનો પોતાની જોડેનો સંવાદ છે. લાઈફમાં ઘણીવાર કશ્મકશ અનુભવાતી હોય છે અને “કાશ!!” નો પડઘો મનમાં અફળાયા કરતો હોય છે.પરંતુ,એનો ઈલાજ નથી મળતો.એટલા માટે નહિ કે તમે ઈલાજ નથી ઇચ્છતા,પણ એટલા માટે કેમકે એ પડઘો તમારી જ અંદરની બળતરા,વેદનાનો અવાજ હોય છે જેને તમે પચાવી નથી શકતા. 😦
કૃષ્ણ આપણે ત્યાં એકમાત્ર એવા ગોડ છે જેને તમે જેવી રીતે જુઓ,એવા એ દેખાય છે. એ એક રીતે મેટાફોર છે એટલે પાણીની જેમ ગમે ત્યાં આકાર મુજબ ફીટ થઇ જાય છે. તમે તમારી લાઈફનો કોઈ પણ પ્રશ્ન લો,વિચારો કે તમારી જગ્યા એ કૃષ્ણ હોત તો શું કર્યું હોત? અંદરથી જે જવાબ મળે,એ મુજબ એપ્લાય કરવાનું,કોઈ દિવસ ઠેબા નહિ આવે..જાવ…આ અનુભવ સિદ્ધ હકીકત છે. 🙂
કૃષ્ણને વધુ સમજવા માટે અમને મદદરૂપ થવામાં અમને ઘણા પુસ્તકોએ રાહ ચીંધી છે. હરીન્દ્ર દવે સાહેબનું ‘માધવ ક્યાય નથી ‘, શ્રીમતી કાજલ ઓઝા વૈદ્યની ‘કૃષ્ણાયન’, ‘ભાગવત’, ‘હરિવંશ’ જેવા સંદર્ભગ્રંથો, જયભાઈના કૃષ્ણ પરના આર્ટીકલ્સ,અમારું કૃષ્ણ અંગેનું ચિંતન,મંથન, અનેક જિંદગીઓમાં બનેલા સાચા પ્રસંગો….આ બધું આખી સીરીઝમાં પડઘાય છે,અફળાય છે અને છેવટે તમારા એટલે કે રીડર્સના મગજ પર ફીણ બનીને પ્રસરી જાય છે.
આ પોસ્ટ/સીરીઝ કઈ બણગા ફૂંકવા કે કોઈની કૃષ્ણ/લાલા/ઠાકોરજી પ્રત્યેની અતુટ ધાર્મિક નિષ્ઠાને સળી કરવા માટે નથી લખી. આ સીરીઝ લખી છે એ પ્રશ્નોના સમાધાન મેળવવા માટે,કે જેમાં અમે કે દુનિયાનું કોઈ પણ વ્યક્તિ-ક્યાંક કશુક ભૂલી ગયું છે,કશુંક ખોવાય ગયું છે.એ શું એનો જવાબ મેળવવા માટે જ આ પ્રશ્નો લખાયા અને પબ્લીશ કરાયા.
શું કૃષ્ણ ખરેખર અવતાર લેવાના નથી હવે આ પૃથ્વી પર? વેલ,જવાબ અમને નથી ખબર પણ એવું ક્યાંક વાંચેલું હતું કે-“અર્જુન, માણસે શું કરવું ન કરવું એ બધું મેં ગીતામાં કહી દીધું છે.હવે એણે પોતાનો ઉદ્ધાર જાતે કરી લેવાનો રહેશે.હું આ પૃથ્વી પર અવતાર લેવાનો નથી.” 😦
આ બધી વાતમાં તમે એ માર્ક કર્યું હશે કે આપણે માત્ર સોલ્યુશન માંગ્યા છે કૃષ્ણ પાસે. કદીય એમની પીડા,એમના આંસુ,એમનો વિષાદયોગ જાણવાની ટ્રાય કરી છે? કેવું થયું હશે એમને જયારે કર્ણ કુંતીપુત્ર છે એ ખબર હોવા છતાંય બાકીના પાંચ પર આપત્તિ ન આવે એ માટે એ ટ્રુથ અંદર ધરબી રાખ્યું હશે? કેવું થયું હશે જયારે ગાંધારીના શ્રાપની અસર હેઠળ સમસ્ત યાદવ કુળને પોતાની નજર સામે ધૂળમાં રગદોળાતું જોયું હશે? અને જયભાઈના જ શબ્દોમાં કહીએ તો “કદાચ કૃષ્ણ અંદરથી સાવ થાક્યા હતા,જીજીવિષાનું તેલ ખૂટતું જતું હતું. અને એટલે જ પારધીનું બાણ વાગતા જ જન્મથી છુપાવેલું રુદન સપાટી પર આવી ગયું અને પ્રાણત્યાગ થઇ ગયો.”
મિત્રો,કૃષ્ણ કદાચ સદેહે હાજર નથી પરંતુ એમની ચેતનાના અંશ એટલે કે આપણે એમને કાયમ પોતાની પાસે મહેસુસ કરીએ છીએ.હા, દિલથી યાદ કરવા પડે અને જયારે દિલથી યાદ કરો ત્યારે [પૂજ્ય ડોંગરેજી મહારાજના કહેવા મુજબ]-“બ્રમ્હ તરત આંખ સામે આવી જાય છે.”
કાજલ મેમના શબ્દોમાં “ત્વદીયમસ્તિ ગોવિંદ તુભ્યદેવ સમર્પયતે ” [હે ગોવિંદ, આ તમે આપેલું તમારા માટે અર્પણ કરું છું.] 😦 🙂
પાપીની પીડા:
કૃષ્ણ તારી પ્રીતના તો કંઈક દાવેદાર છે
કોઈ તારી પીડાને જીરવી જવા તૈયાર છે?
રંગ મહેલોની ઉદાસી કોઈએ જાણી નથી
લોક સમજે દ્વારિકામાં તો બધું ચિક્કાર છે
કમનસીબી એ જ, કે આંખ ખાલી બે જ
શું કરે રાધા કે એના અશ્રુઓ ચોધાર છે
વાંસળી છોડી સુદર્શન હાથ ધરવું પડ્યું
આ જગત સામે બિચારો ઈશ્વરેય લાચાર છે
એક અમથું તીર એને કઈ રીતે મારી શકે?
આ ગુનામાં સ્વયમ પોતે જ હિસ્સેદાર છે.
vishal jethava
/ February 29, 2012તમને ભૂખ લાગે ત્યારે શું કરો?
ઘરનું પીંજરુ/ફ્રીઝ ફટાક કરતું ખોલીને ખા-ખા ખોળા કરો અને પછી ભાવતું મળે એટ્લે રાજીના રેડ.
બસ, ડીટ્ટો મારે એવું જ છે.
મને પણ જ્યારે વાંચવાની ભૂખ લાગે ત્યારે મારા માટે ફ્રિજ એટ્લે mount meghdoot !!! 🙂 [અને planetjv! ]
જ્યારે જ્યારે આ સિરીજ નો અધ્યાય/પ્રકરણ/પોસ્ટ વાંચતો ત્યારે દરવખતે મને જયભાઈ એ 2008 ના ઓગષ્ટ ના જન્માષ્ટિના દિવસોમાં લખેલો “PAIN OF KRISHNA ” વાળો લેખ યાદ આવતો. [exact date: 24/08/2008] 🙂
લેખની શરૂઆત માં જ આ હિતેન આનદપરાની કવિતા છે..અને આખો લેખ તો દિલમાં મઢાવાય એવો છે.
મને એમ હતું કે 10 ભાગ સુધી આ સિરીજ કંટીન્યુ રહેશે,પણ આમ અચાનક લાસ્ટ પોસ્ટ ધડકન ચૂકવી ગઈ. 😦
ભૂમિકા શાહ જેવા અનુભવી અને ‘ક્રેક’ (!) હોવા છતાય?
જેવી મેઘદૂત ટીમની ઈચ્છા!
🙂
છેલ્લે હું પણ એક શ્લોક ઠપકારુ?
”સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા,સમાધિ શષ્ટ્ય કેશવ,
સ્થિતવી કી પ્રભાસેત,કિમાસિન તજેત કીમ!”
{સાચો છે કે ખોટો એ તો રામ જાણે ! સોરી ક્ર્રિષ્ન જાણે…}
અસ્તુ.
|| ૐ ||
Umang Desai
/ March 12, 2012Kajal Mam ni krushayan vanchi tyar thi j krushn pratey ek alag j prakar no lagav thai gayo chhe………